સુરેન્દ્રનગર નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સભામાં ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્યોનું સન્માન કરાશે: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર

સુરેન્દ્રનગર : જિલ્લા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ સી.પી. મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં ૭૦ વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું શાલ ઓઢાડીને વિશેષ સન્માન કરવામાં આવશે.

આ સન્માન કાર્યક્રમ માટે, મંડળની વાર્ષિક સાધારણ સભામાં નક્કી થયા મુજબ, જે સભાસદો તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૭૦ વર્ષ પૂરા કરતા હોય, તેમણે ઓફિસ સમય દરમિયાન સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં આવીને ફોર્મ ભરી જવું ફરજિયાત છે.

ફોર્મ ભરતી વખતે સભાસદોએ તેમની જન્મ તારીખનો પુરાવો, રૂ. ૫૦ ફોર્મ ફી, હાલના સમયના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને પીપીઓ બુક સાથે લાવવા સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળની એક યાદીમાં જણાવ્યું છે.

Comments

Popular posts from this blog

કલાઉત્સવમાં કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ: ૫૫૦થી વધુ દર્દીઓને લાભ

શાહ હેપીનેસ અર્જન્ટ કેર સેન્ટરનું ઉદ્ઘાટન: ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યસેવાની નવી આશા