Posts

સુરેન્દ્રનગર સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું

Image
સુરેન્દ્રનગર: આજે સમગ્ર દેશમાં સંત શિરોમણી રવિદાસજી મહારાજની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે સામાજિક સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પવિત્ર અવસર નિમિત્તે શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે દર્દીઓની સેવા અને સ્વાસ્થ્યની કામના સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ માત્ર ભેટ જ અર્પણ નહોતી કરી, પરંતુ સંત રવિદાસજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને તમામ દર્દીઓ જલ્દીથી સાજા થાય અને તેમનું સ્વાસ્થ્ય પુનઃ સારું બને તે માટે અંતરપૂર્વક પ્રાર્થના પણ કરી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં સુરેન્દ્રનગરના અનેક અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મુખ્યત્વે મહેન્દ્ર પરમાર (સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ), ઝરણાબેન જાની (જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ), વિનોદભાઈ મકવાણા (શહેર કોંગ્રેસ મહામંત્રી), નરેશભાઈ વાળા (સામાજિક કાર્યકર્તા), ઋત્વીકાબેન (સામાજિક અગ્રણી), વી. ટી. વાઘેલા સાહેબ (એડવોકેટ) આ ઉપરાંત, શહેરના અન્ય સામાજિક આગેવાનો અને સીનીઅર સિટીઝ...

સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે ૧૯૭૮/૭૯ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિભેટ અને સ્પોન્સરશિપ અર્પણ

Image
સુરેન્દ્રનગર : શહેરની પ્રતિષ્ઠિત એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે તારીખ ૩૧/૦૧/૨૦૨૬ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૮/૧૯૭૯ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ‘રી-યુનિયન’ ના સભ્યો દ્વારા કોલેજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરવાના ઉમદા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જીવનભરના સંભારણા સમાન ૪૨ સુંદર ફોટાઓનું કલેક્શન તૈયાર કરી તેને ફ્રેમ કરાવીને કોલેજ ઓફિસમાં લગાવવામાં આવ્યું હતું. આ ફોટો કલેક્શન પાછળનો મુખ્ય હેતુ આવનારી પેઢીના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને કોલેજની ગરિમા જળવાઈ રહે તેવો રાખવામાં આવ્યો છે. આ તસ્વીરો ૧૯૭૮/૭૯ના સમયની મધુર યાદોને જીવંત કરે છે. રી-યુનિયન કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચ બાદ વધેલી રકમનો સદુપયોગ કરવાના હેતુથી કોર કમિટી દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો હતો. કોલેજના સેન્ટ્રલ હોલ (ઓડિટોરિયમ) માટે અત્યંત જરૂરી એવા બે "પી.ડી.એમ." માઈક ડેશ બોર્ડ ટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. આ સાધનોનો ઉપયોગ સ્ટેજ પર એન્કરિંગ, પ્રવચન, સ્વાગત પ્રવચન અને આભાર વિધિ માટે કરવામાં આવશે, જેની કોલેજને લાંબા સ...

શિક્ષણનગરી સુરેન્દ્રનગરમાં 'એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ'નો ભવ્ય પ્રારંભ: શિક્ષણમાં નવા આયામો કંડારતા ૩૫ ઇનોવેશન

Image
સુરેન્દ્રનગર: શિક્ષણ ક્ષેત્રે નવા વિચારો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સુરેન્દ્રનગર દ્વારા ૧૧માં જિલ્લા કક્ષાના 'એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ-૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દાદા ભગવાન ત્રિ-મંદિર ખાતે શુક્રવારથી શરૂ થયેલા આ બે દિવસીય મહોત્સવમાં શિક્ષણ જગતના અનોખા સંગમનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાના સંસ્મરણો યાદ કરી જણાવ્યું હતું કે, "હું હૃદયથી હંમેશા એક શિક્ષક રહ્યો છું. તલાટીથી લઈને IPS સુધીની સફરમાં શિક્ષકની ભૂમિકા મારી સૌથી મનપસંદ રહી છે. આવા ઇનોવેશન્સ શિક્ષકોને શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે." આ તકે ડાયેટના વડા ડો. છગનભાઈ ટુડીયા, મહિપાલસિંહ જેતવત અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલમાં જિલ્લાભરના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલી ૩૫થી વધુ નવતર કૃતિઓ રજૂ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન એકાદશ સર્જનમ, ઇનોવેશન ફેસ્ટિવલની વિશેષ પુસ્તિકાનું વિમોચન કરાયું. તેમજ AI મોડ્યુલ શિક્ષણમાં 'આ...

સુરેન્દ્રનગર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે વકીલોનું મહાસંમેલન યોજાયું

Image
સુરેન્દ્રનગર: આગામી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના ઉમેદવાર પ્રશાંતભાઈ સુરેશકુમાર ભટ્ટના સમર્થનમાં વકીલોનું એક ભવ્ય સ્નેહમિલન અને મિટિંગ યોજાઈ ગઈ. તાજેતરમાં ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સુરેન્દ્રનગરની લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં પ્રશાંતભાઈ ભટ્ટની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી અને ઉપસ્થિત તમામ વકીલોને અપીલ કરી હતી કે, પ્રશાંત સુરેશકુમાર ભટ્ટને પ્રથમ ક્રમાંક (નંબર ૧) આપી જંગી બહુમતીથી વિજેતા બનાવી બાર કાઉન્સિલમાં મોકલવા જણાવવામાં આવ્યું હતું‌. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સુરેન્દ્રનગર બાર એસોસિએશનના પ્રમુખ જી.ડી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન નોટરી એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ ચુડાસમા તથા સુરેન્દ્રનગર બાર એસોસિએશનના સેક્રેટરી વિપુલભાઈ જાનીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાયદાકીય ક્ષેત્રના દિગ્ગજોએ હાજરી આપી પ્રશાંતભાઈ ભટ્ટને સમર્થન જાહેર કર્યું હતું, જેમાં મુખ્યત્વે એમ.પી. સભાણી ડીજીપી, સુરેન્...

સુરેન્દ્રનગર: શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા પેટના રોગોનો નિઃશુલ્ક કેમ્પ સંપન્ન, ૧૩૬ દર્દીઓએ લીધો લાભ

Image
સુરેન્દ્રનગર : પંથકના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં પેટના રોગોનો ભવ્ય 'સેવા યજ્ઞ' યોજાયો હતો. આ કેમ્પમાં સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી આશરે ૧૩૬ દર્દીઓએ નિષ્ણાત સારવારનો લાભ લીધો હતો. સુરેન્દ્રનગરની આ એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં ફૂલ-ટાઈમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટની સેવા ઉપલબ્ધ છે. મુંબઈની પ્રખ્યાત લોકમાન્ય તિલક મેડિકલ કોલેજથી DM થયેલા અને જાપાનથી ફેલોશિપ પ્રાપ્ત ડૉ. ચિંતન ટેલરના નેતૃત્વમાં આ કેમ્પનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે ₹૬,૦૦૦ના ખર્ચે થતો લીવરનો ફાઈબ્રોસ્કેન રિપોર્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સોનોગ્રાફી, સીટી સ્કેન, એન્ડોસ્કોપી અને લોહીની ખાસ તપાસો અત્યંત રાહતદરે પૂરી પાડવામાં આવી હતી. તેમજ અન્નનળી, આંતરડા, લિવર અને સ્વાદુપિંડના જટિલ રોગોનું સ્થળ પર જ નિદાન કરાયું હતું. કેમ્પ દરમિયાન બે જટિલ કિસ્સાઓમાં તબીબોએ જીવતદાન આપનારી કામગીરી કરી હતી જેમાં ખોરાક ગળવામાં તકલીફ અનુભવતા ૪૫ વર્ષીય દર્દીનું તાત્કાલિક એન્ડોસ્કોપી દ્...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ

Image
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાઃ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ભારતના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી થઈ, જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. સંબોધન દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણાએ સૌને 77મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, 26 જાન્યુઆરી માત્ર એક રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ તે આપણા સ્વતંત્રતા સેનાનીઓના અમર બલિદાનનું જીવંત પ્રતીક છે. મહાત્મા ગાંધી, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર તેમજ અનેક અજ્ઞાત યોદ્ધાઓએ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે સંઘર્ષ કરીને દેશને આઝાદી અપાવી. તેમના ત્યાગ અને પરિશ્રમથી પ્રેરિત થઈને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું, જે આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકારો પ્રદાન કરે છે. આ ઐતિહાસિક દિવસે તેમના બલિદાનને યાદ કરીને વિકસિત અને સમૃદ્...

સુરેન્દ્રનગર 77માં પ્રજાસત્તાક પર્વ પર શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલનો દબદબો; સાંસ્કૃતિક કૃતિમાં દ્વિતીય સ્થાન મેળવ્યું

Image
સુરેન્દ્રનગર : સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રંગે રંગાયો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન મારી લીધું છે. જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમમાં શાળાની કૃતિએ સમગ્ર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણી રચિત અમર કૃતિ "કસુંબીનો રંગ" પર પારંપરિક નૃત્ય રજૂ કર્યું હતું. શૌર્ય અને સંસ્કૃતિના સંગમ સમાન આ પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શાળાની આ ભવ્ય સફળતા બદલ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે શાળાના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદીયા તથા સમગ્ર ટીમને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સફળતા પાછળ શાળાના તમામ સ્ટાફ પરિવારની ભારે જહેમત રહેલી છે. એક તરફ 50 બાળકો સ્ટેજ પર કૌશલ્ય બતાવી રહ્યા હતા, તો બીજી તરફ ધોરણ 8 ના અન્ય વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ પર વ્યવસ્થાપનની જવાબદારી નિભાવી એક ઉત્તમ ઉદાહરણ પૂર...